ઈસરોના ભૂતપૂર્વ વડા કે કસ્તુરીરંગનનું નિધન
ઈસરોના ભૂતપૂર્વ વડા કે કસ્તુરીરંગનનું નિધન
Blog Article
ઇસરોના ભૂતપૂર્વ વડા કે કસ્તુરીરંગનનું શુક્રવારે બેંગલુરુમાં નિધન થયું હતું. ૮૪ વર્ષીય કસ્તુરીરંગન ઘણા સમયથી બીમાર હતાં.તેમણે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો), અવકાશ આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના સચિવ તરીકે નવ વર્ષથી વધુ સમય સુધી ભારતીય અવકાશ પ્રોગ્રામનું ભવ્ય નેતૃત્વ કર્યું હતું. કસ્તુરીરંગનના નિધન પર રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે “તેઓ આજે સવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને સ્વર્ગવાસી થયા હતાં. તેમના પાર્થિવ શરીરને અંતિમ શ્રદ્ધાંજલિ માટે 27 એપ્રિલ સુધી રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) ખાતે રાખવામાં આવશે.